:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું

top-news
  • 27 Jul, 2024

દિલ્હીની તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં 125 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. ખરેખર જોઈએ તો દિલ્હીની તિહાડ જેલમાં ત્રણ જેલ છે, તિહાર, રોહિણી અને મંડોલી. ત્યાથી પોઝીટીવ કેદી મળી આવ્યા છે. આ એચઆઈવી પોઝીટીવ કેદીઓ નવા નથી, તેઓ પહેલેથી જ એઈડ્સગ્રસ્ત છે. આ સિવાય અન્ય 200 કેદીઓમાં સિફિલિસનો રોગ જોવા મળતા ગભરાટ ફેલાયો છે.

તિહારમાં લગભગ સાડા 10 હજાર કેદીઓની મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી છે. જેલમાં આશરે 14,000 કેદીઓ છે. તિહાર જેલમાં સમયાંતરે કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવે છે. અને હાલમાં તિહાર જેલનો હવાલો ડીજી સતીશ ગોલચાએ સંભાળ્યો છે. અને તે બાદ મે અને જૂનમાં સાડા દસ હજાર કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આ મેડિકલ ચેકઅપમાં 10,500 કેદીઓને એચઆઈવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 125 કેદીઓ એચઆઈવી પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, અત્રે એક વાત ખાસ નોંધનીય એ છે કે, આ કેદીઓને હાલમાં એઇડ્સ નથી થયો, પરંતુ અલગ-અલગ સમયે જ્યારે કેદીઓ બહારથી જેલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેઓ HIV પોઝીટીવ હતા.

કેદીઓને જ્યારે જેલમાં લાવવામાં આવ્યા તે પહેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે એઇડ્સનો શિકાર હતા. હવે ફરી જ્યારે કેદીઓનું ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે 125 કેદીઓ જ એઈડ્સનો શિકાર હતા. આ સિવાય સાડા દસ હજાર કેદીઓમાંથી 200 કેદીઓ સિફિલિસથી પીડિત હોવાનું જાણવા મળ્યુ હતું. 

આ સિવાય કેદીઓની તપાસમાં ટીબીનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. તિહાર જેલના પ્રોટેક્ટીવ સર્વે વિભાગે એઈમ્સ અને સફદરજંગ હોસ્પિટલના સહયોગથી મહિલા કેદીઓ માટે સર્વાઈકલ કેન્સર ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટ કરાવવા પાછળનો હેતું એ હતો કે, મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાઓ ઘણી વાર હોય છે.

આ ટેસ્ટ સાવચેતીપૂર્વક કરવામાં આવે છે, જેથી જો કોઈ વ્યક્તિનો સર્વાઈકલ કેન્સર ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને શરૂઆતમાં જ સારી રીતે ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે સારવાર આપી શકાય. એવું પણ નથી કે, આ ટેસ્ટ પોઝિટિવ આવતાંની સાથે જ કેન્સર ડિટેક્ટ થઈ જાય છે, પરંતુ એ ખ્યાલ આવી જાય છે, કે સર્વાઇકલ કેન્સરની શક્યતાઓ છે, તો સમયસર ટેસ્ટ કરાવીને તેની સારવાર કરી શકાય છે.